
અમદાવાદ-ઓખા વંદે ભારત એક્સપ્રેસના સમયપત્રકમાં કરાયેલા ફેરફાર સામે ગુજરાત પેસેન્જર એસોસિએશને પશ્ચિમ રેલવે અને ભાજપના સાંસદોને લેખિત વિરોધ નોંધાવ્યો છે. ટ્રેન સવારે 6:15 વાગ્યે ઉપડી બપોરે 1:20 વાગ્યે ઓખા પહોંચે છે, ત્યારે મંદિરના દ્વાર બંધ હોય છે. આ નવા સમયને કારણે યાત્રાળુઓ બપોરની આરતી અને દર્શનથી વંચિત રહી જાય છે, જેથી જૂનો સમય યથાવત રાખવા માંગ કરાઈ છે.